Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના લાભાર્થે
જામનગર તા. રઃશ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના લાભાર્થે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રથનું પરિભ્રમણ ઠેબા ગામથી શરૂ થયું છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત 'કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ'ના લાભાર્થે જામનગર તાલુકામાં શ્રી ખોડિયાર માતાજીની શોભાયાત્રા (રથ) તથા દરેક ગામોમાં માતાજીની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આજે ર મે એ સવારે માઁ ખોડલના રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં. ઠેબામાં કેન્સર હોસ્પિટલની થીમ અને માઁ ખોડલના રથનું રંગોળી કરી સ્વાગત કર્યું હતું અને જે રૂટ ઉપર રથ પરિભ્રમણ કરવાનો છે તે તમામ રૂટને શણગારવામાં આવ્યા છે. સર્વે સમાજના લોકો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માઁ ખોડલનો રથ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ અલગ અલગ ગામોમાં ફરશે અને બપોરનું રોકાણ અને રાત્રે રોકાણ કરશે, જ્યારે માઁ ખોડલના રથનો આજે ર મે ના સવારે પ્રારંભ થયો છે અને તા. ૮-પ-ર૦રપ ના શોભાયાત્રા પૂર્ણ થશે. માઁ ખોડલનો અને કેન્સર હોસ્પિટલનો રથ દરરોજ છ ગામડામાં પરિભ્રમણ કરશે અને સાત દિવસમાં ૪પ જેટલા ગામડામાં 'શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની થીમ'માંથી તૈયાર કરાયેલો અને માઁ ખોડલની મૂર્તિ બિરાજમાન કરેલા રથ ફરશે અને દરેક જગ્યાએ વિવિધ સમાજના લોકો તેમજ ગામડામાં અલગ અલગ જગ્યાએ મહાઆરતી પણ કરવામાં આવશે, જ્યારે આજે રથના પ્રારંભ વખતે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મનોજ કથીરિયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી, જિલ્લા કન્વિનર મયુરભાઈ મુંગરા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને કોર્પોરેટરો તેમજ સમાજના સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial