Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લ્યો... કરો વાત... હવે ફરી નવેસરથી
ખંભાળિયા તા. ર૦: ખંભાળિયાની ઘી નદીમાં પાણીના બદલે કાયમ ફેલાયેલી રહેતી ગાંડીવેલને દૂર કરવા માટે હવે ફરીથી નવેસરથી કવાયત હાથ ધરવામાં આવી છે. વર્ષોથી ન.પા. તંત્ર અને રાજકીય ચૂંટાયેલા ઉચ્ચ નેતાઓ દ્વારા વિવિધ તબક્કે કોઈને કોઈ જાહેરાતો કરવામાં આવી રહે છે, તે દરમિયાન ન.પા.ના ચીફ ઓફિસરે ગાંડી વેલને કાયમ માટે દૂર કરવા આયોજન હાથ ધર્યું છે અને તે માટે ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ઘી નદીમાં આસપાસની સોસાયટીઓ અને નવા મકાનો બનતા તેના ગંડુ પાણીનો નિકાલ ઘી નદીમાં થાય છે, જો કે આ ગંદા પાણીના નિકાલ માટે નદીની બન્ને તરફ કેનાલ બનાવવા, સંરક્ષણ દીવાલ બનાવવા જેવા આયોજનો કરાશે. તે માટે સરકારે નાણા ફાળવ્યા હોવાની જાહેરાતો પણ વખતો વખત રાજકીય નેતાઓ દ્વારા થઈ હતી, પણ આ ગાંડી વેલનો કાયમી ઉકેલ હજી સુધી આવ્યો નથી અને તેના ઉકેલ માટેની જાહેરાતો પણ વ્યર્થ અને ટીકાપાત્ર પૂરવાર થઈ રહી છે.
અગાઉ પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે સફાઈ કાર્ય કરાવીને નદી ચોખ્ખી કરાઈ હતી, પરંતુ થોડા સમયમાં પાછું ગાંડીવેલનું સામ્રાજ્ય થઈ ગયું હતું, ત્યારે જૂનાગઢ નરસી મહેતા દામોદર કુંડની જેમ કાયમી વેલ નાબૂદ થાય તેવું ગેરેંટીપૂર્ણ કામ કરવાની માગ કરાઈ છે.
ઘી નદી પર રીવરફ્રન્ટની કરોડોની યોજના તથા નદીમાં ગટર ના ભળે તે માટે કરોડોની બન્ને તરફ પાણી નિકાલની યોજના થનાર છે તથા ભૂગર્ભ ગટર પણ કાર્યાન્વિત થવાની છે, જ્યારે ઘી નદી ચોખ્ખી થાય તો શહેરની શાનમાં વધારો થાય તેમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial