Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યાત્રાળુઓના નામ-સરનામાની વિગતો આપવા સૂચનાઃ
જામનગર તા. ૩: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પોલીસ દ્વારા પુરતી સતર્કતા રાખવામાં આવી રહી છે. યાત્રીકોના નામ-સરનામા અંગેની પૂરતી વિગતો રાખવા હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મ શાળા તથા હોમસ્ટે ચલાવતા આસામીઓને સૂચના આપવામાં આવી છે.
પહલગામના આતંકી હુમલા પછી રાજ્ય અને દેશ ભરમાં સતર્કતા દાખવવામાં આવી રહી છે. ખાસ કરીને જામનગર નજીકના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પણ જગતમંદિરે ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી છે.
દ્વારકામાં જગતમંદિર ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મશાળાઓ, હોટલ, ગેસ્ટહાઉસ વગેરે સ્થળો પર પોલીસ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે દર્શનાર્થે આવતા યાત્રીકોના નામ, સરનામાની વિગતો એકત્ર કરવા માટે પોલીસ દ્વારા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે અને દ્વારકા શહેરમાં જૂની ગૌશાળા નજીક તથા જલારામ સોસાયટીમાં પોતાના મકાનમાં મુસાફરોને ઉતારો આપતા બે આસામી દ્વારા મુસાફરોની નામ, સરનામાની વિગતો ન લેવામાં આવતા બંને સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial