Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચ્છના લખપતથી નીકળેલા ૬૫ સાયકલિસ્ટો કેરળના કોચિન સુધીના દરિયાકાંઠે ૩૫૦૦ કિલોમીટરનું અંતર કાપશે
દેશની દરિયાઈ સીમાઓની સુરક્ષા અને રાષ્ટ્રીય એકતાના ઉમદા હેતુ સાથે નીકળેલી 'વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન રેલી' જામનગર જિલ્લાના જોડિયામાં આવી પહોંચતા તેનું ભવ્ય અને હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છના લખપતથી શરૂ થયેલી આ સાહસિક રેલીમાં ૬૫ જેટલા ઉત્સાહી યુવાનો સહભાગી થયા છે, જેઓ કેરળના કોચીન સુધીનું અંદાજે ૩૫૦૦ કિલોમીટરનું લાંબુ અંતર સાયકલ દ્વારા પૂર્ણ કરશે. જોડિયામાં આયોજિત સ્વાગત કાર્યક્રમમાં જોડિયા હુન્નર શાળાની બાળાઓ અને સીઆઈએસએફના જવાનો દ્વારા લાઠી પ્રદર્શન, યોગ અને માનવ પિરામિડ જેવા શૌર્યપૂર્ણ નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉપસ્થિત જનમેદનીમાં દેશભક્તિની લહેર ફરી વળી હતી. આ અંગે વિગતો આપતા સી.આઈ.એસ.એફ. ના ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આ રેલી માત્ર પ્રવાસ નથી પરંતુ માર્ગમાં આવતા તટીય ગામોની મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સમજવાનો અને સંસ્કૃતિના આદાન-પ્રદાનનો એક સેતુ છે. આ પ્રવાસ દરમિયાન ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અંગે સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહૃાા છે. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા સહિતના મહાનુભાવો અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગ સંસ્થાનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓ પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ અને અશોકભાઈ વર્માએ પણ હાજર રહી સાયકલિસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial