Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ૩૧મી જાન્યુઆરીએ યોજાશે
જામનગર તા. ૩૦: રાષ્ટ્ર ભક્તિ અને શારીરિક સુદૃઢતાના સંદેશ સાથે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બલ રાજકોટ એરપોર્ટ દ્વારા આયોજિત 'વંદે માતરમ્ તટીય સાયકલોથોન-૨૦૨૬'ના બીજા ચરણનું આયોજન જામનગર જિલ્લાના જોડિયામાં કરવામાં આવ્યું છે. તા. ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૬ના જોડિયામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી સાયકલોથોન ટીમને પ્રોત્સાહિત કરશે. ૩૧મી જાન્યુઆરીએ વહેલી સવારે ૫ વાગ્યે મોરબી જિલ્લાના સરવડથી સાયકલોથોન ટીમનું પ્રસ્થાન થશે, જે જામનગરના જોડિયા સ્થિત પટેલ સમાજ વાડીમાં પહોંચશે, તેને બપોરે ૧૨ વાગ્યે મંત્રી રિવાબા જાડેજા આવકારશે, અને સાયકલોથોન પ્રતિભાગીઓનું ભવ્ય સન્માન કરવામાં આવશે. આ તકે સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે, તેમજ સીઆઈએસએફની ટીમ દ્વારા સાહસિક કયુટીઆર ડેમો અને યોગના નિદર્શનો યોજાશે. બપોરે ૨ વાગ્યે મંત્રી દ્વારા સાયકલોથોન ટીમને જોડિયાથી વિધિવત ફલેગ ઓફ આપી આગળના પ્રસ્થાન માટે રવાના કરવામાં આવશે. સીએસઆઈએફ રાજકોટ એરપોર્ટના સુરક્ષાકર્મીઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તટીય સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને જનભાગીદારી વધારવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીઆઈએસએફના અધિકારી અમનદીપ સિરસવા અને તેમની ટીમ જહેમન ઉઠાવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial