Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલના બિછાનેથી યુવકે પોલીસને અરજી પાઠવીઃ
ઓખા તા. રઃ સુરજકરાડીમાં વસવાટ કરતા એક યુવકે વિધવા યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા સાથે રહેવાનો બંનેએ નિર્ણય કર્યા પછી મૈત્રીકરાર કર્યા હતા. તેની જાણ થતાં યુવતીના પરિવારે સમજાવી બુજાવીને યુવતીને પરત બોલાવી લીધા પછી ગોંધી રાખ્યાની જાણ થતાં આ યુવકે ઝેરના પારખા કર્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીકના સુરજકરાડી ઉદ્યોગનગરમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા રીણાભા કરશનભા માણેક નામના ચોત્રીસ વર્ષના યુવાને ઝેરી દવા પી લેતા તેઓને સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે.
વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા આ યુવાને પોલીસને અરજી પાઠવી જણાવ્યું છે કે, તેઓ થોડા સમય પહેલા એક વિધવાના સંપર્કમાં આવ્યા પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યાે હતો અને બંનેએ સાથે રહેવાનું નક્કી કરી ગઈ તા.ર૪ના દિને મૈત્રીકરાર કર્યા હતા. તે પછી જામનગર આવી ગયેલા આ યુવકના ભાઈને ખેરાજભા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે આ યુવક, યુવતીને પરણાવી આપવાની વાત કરતા બંને વ્યક્તિ સુરજ કરાડી પરત ફર્યા હતા. તે પછી બે-ત્રણ દિવસમાં વ્યવસ્થા કરી લગ્ન કરી આપવાનું જણાવી યુવતીને ત્યાં જ મૂકી જવા કહેવાતા વિશ્વાસ રાખીને રીણાભા અને તેમના પરિવારજનો યુવતીને છોડીને આવ્યા હતા.
ત્યારપછી આ યુવતીએ એક મોબાઈલ પરથી આવતા નહીં તેવો વોઈસ મેસેજ કરતા રીણાભાએ તપાસ કરાવી હતી જેમાં આ યુવતીને ગોંધી રાખવામાં આવી હોવાનું ખૂલતા તેઓએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યાે છે. આ અરજીમાં તેઓએ એક યુવતી સહિત પાંચના નામ પોલીસને આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial