Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તાલુકામાં આવેલા ઘુમલી મૂકામે
જામનગર તા. ર૯: ભાણવડ તાલુકાના ઘુમલીમાં આવેલ શ્રી લુણંગ ગણેશ દેવની જગ્યામાં દાતાશ્રીના સહયોગથી બનાવાયેલા લુણંગ ગણેશ દેવ દ્વાર તથા રજવાડી ગેઈટનો લોકાર્પણ કાર્યક્રમ તા. ૧/પ ને ગુરુવારે યોજવામાં આવ્યો છે.
જેમાં તા. ૧/પ ના સાંજે ૬ વાગ્યે લોકાર્પણ કાર્યક્રમ, સાંજે ૬-૩૦ વાગ્યે નૂતન ધ્વજારોહણ, ૭ વાગ્યે દાતાશ્રીઓનું સન્માન, ૭-૩૦ વાગ્યે મહાપ્રસાદ, તા. ર/પ ના સવારે ૬ વાગ્યે ભેટ પૂજા, ૬-૩૦ વાગ્યે પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન શ્રી ઘુમલી ગણેશ મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
ગાંધીધામ (કચ્છ) નિવાસી અને મૂળ ગુંદાલાના વતની તથા લુણંગ ગણેશ દેવ દ્વાર અને રજવાડી ગેઈટના દાતા સ્વ. લાલજીભાઈ સુમારભાઈ દાફડા અને સ્વ. રાણબાઈ લાલજીભાઈ દાફડા (હસ્તેઃ કિશોરભાઈ એલ. દાફડા), વિનોદભાઈ એલ. દાફડા અને ડો. પ્રશાંતભાઈ કિશોરભાઈ દાફડા તેમજ મહાપ્રસાદ-પ્રસાદના દાતાશ્રી શ્રી ગણેશ સેવક સંઘ-જામનગરનો સહયોગ આ કાર્યક્રમમાં પ્રાપ્ત થયો છે. આ કાર્યક્રમમાં આવનારાઓ માટે રહેવા-જમવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હોદ્દેદારો રાણાભાઈ વારસાખિયા, કે.ડી. માતંગ, કાનજીભાઈ ફફલ, કિરણકુમાર ગડણ, જયંત વારસાખિયા (એડવોકેટ), કે.ડી. જોડ (નિવૃત્ત નાયબ મામલતદાર), માલશીભાઈ ગોરડિયા, ગિરીશભાઈ માતંગ, બાબુભાઈ જોડ, બાબુભાઈ વિંઝોડા, ગાંગાભાઈ માતંગ, સતિષભાઈ ચુંચા, સમિતિના સભ્યો, સમાજના મંડળો-ટ્રસ્ટો, પંચ ધર્મગુરુશ્રીઓ, મહારાજશ્રીઓ અને આગેવાનો તન-મન-ધનથી સહયોગ આપી જહેમત ઊઠાવી રહ્યા છે. સર્વે ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ રાણાભાઈ જીવાભાઈ વારસાખિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મહામંત્રી જયંત વારસાખિયાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial