Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૩૦: દિલ્હીમાં ૧૨ હજારથી વધુ વર્ગખંડોના બાંધકામમાં 'આપ'ના નેતા અને પૂર્વમંત્રી મનિષ સિસોદિયા તથા શત્યેન્દ્ર જૈનની સંડોવણી ખુલી છે.
કથિત લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા સિસોદિયા અને જૈન વિરૂદ્ધ શાળાઓના કલાસરૂમ બાંધકામમાં પણ રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. એસીબીએ જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં ૧૨૭૪૮ કલાસરૂમ બાંધકામમાં રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. જયારે જૈન પીડબલ્યુડી (પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ)નો ચાર્જ સંભાળી રહ્યા હતાં. આ કેસના સિસોદિયા વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.
કલાસરૂમના બાંધકામનો કોન્ટ્રાકટ ૩૪ કોન્ટ્રાકટરને આપવામાં આવ્યો હતો. જે તમામ આપ સાથે જોડાયેલા હતા. એસીબીએ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ એડવાઈઝર અને આર્કિટેકટની નિમણૂક કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial