Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકચાલક સામે મૃતકના પત્નીએ નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૨૬: જામનગરના દરેડ જીઆઈડીસી પાસે શનિવારે રાત્રે નિદ્રાધીન પરપ્રાંતીય શ્રમિક પરથી ટ્રકનંુ ટાયર ફરી વળતા ગંભીર ઈજા પામેલા આ શ્રમિકને સારવારમાં ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના દરેડ ગામમાં જીઆઈડીસી પાસે ગૌશાળા સર્કલ નજીક શનિવારે રાત્રે મૂળ મધ્યપ્રદેશના દતીયા જિલ્લાના જાખોલી ગામના કલ્યાણસિંગ જાટવ નામના શ્રમિક નિદ્રાધીન થયા હતા. તેઓ પરથી રાત્રે સાડા અગિયારેક વાગ્યે જીજે-૨૫-યુ ૯૭૦૫ નંબરનો ટ્રક ફરી વળ્યો હતો.
આ યુવાન પરથી ટ્રકનું આગળનું ટાયર ફરી વળતા છાતી તથા પગમાં ગંભીર ઈજા પામેલા કલ્યાણસિંગને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની દુર્ગાદેવી જાટવે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial