Advertisement
Author: નોબત સમાચાર

ગટરમાં ગલુડિયા પડી જતા મોતને ભેટે છે અને આરોગ્ય જોખમાય છેઃ જનાક્રોશ

ઢાંકણા ખુલ્લા હોવાથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં વોર્ડ નંબર ૧ મા ભૂગર્ભ ગટરની સફાઈમાં વેઠ ઉતારવમાં આવે છે. ગટરોના ઢાંકણા પણ નથી આથી શ્વાનના બચ્ચાઓ ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાં પડી જતા મૃત્યુ પામી રહ્યા છે.

જામનગરના વોર્ડ નંબર ૧ મા ભૂગર્ભ ગટરોની સફાઈ સમયાંતરે થતી નહીં હોવાથી ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળે છે. અનેક ભૂગર્ભ ગટરની કુંડીના ઢાંકણા તૂટી ગયા છે. આથી ગલુડિયા તેમાં પડી જતા મોતને ભેટી રહ્યા છે.

આ બાબતે ભૂગર્ભ ગટર શાખાના જવાબદાર અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં દાદ આપતા નથી. આ અંગે વધુ એક વખત સ્થાનિક આગેવાન અનવર સંઘારએ મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂઆત કરી છે અને જવાબદારો સામે પગલાં લેવાની માગ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh