Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિ જર્જરિત હાલતમાં રહેલ
જામનગરમાં ગોવાળની મસ્જીદ વિસ્તારમાં એક જર્જરિત મકાનને આજે મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યુ હતું. જામનગરમાં પંચેશ્વર ટાવર રોડ, ગોવાળ મસ્જીદ સામે આવેલ એક પરિવારનું ત્રણ માળનું મકાન જર્જરિત હાલતમાં હતું. જેમાં સ્લેબ પણ થોડો બેસી ગયો હતો. જો આ ઈમારત તૂટી પડે તો માનવહાની થઈ શકે તેવી શક્યતા હતી. આથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે આજે વહેલી સવારે આ મકાન તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી. સિક્યોરિટી અધિકારી સુનિલ ભાનુશાળી સહિતની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા આ મકાનને જમીન દોસ્ત કરી નાખવામાં આવ્યું હતું. ૧૯૪૮માં ગ્રાઉન્ડ ફલોર અને તેના ઉપરના બે માળ બાંધકામ કરાયા હતા. એટલે કે પોણી સદી જુના આ મકાનને આજે તોડી પાડવામાં આવ્યું હતું. જો કે, વર્ષોથી આ મકાન બંધ હાલતમાં હતું ત્યાં કોઈ વસવાટ કરતું ન હતું. પરંતુ નીચેના ભાગે એક ભંગારના ધંધાર્થી વ્યવસાય કરતા હતા. આ કામગીરી હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial