Advertisement
Author: નોબત સમાચાર

વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયેલા ફરસાણના વેપારી તથા તેના પિતાને વ્યાજખોરની ધમકી

રૂ.૫ લાખ સામે રૂ.૯ લાખ ચૂકવાયાઃ ફ્રોડમાં ગયેલી રકમની પણ ઉઘરાણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગરમાં ફરસાણનો વ્યાપાર કરતા એક આસામીએ બે વર્ષ પહેલાં રૂ.પ લાખ ચાર ટકાના વ્યાજે લીધા પછી રૂ.૪ લાખ વ્યાજ પેટે ભરવા ઉપરાંત મૂળ રકમમાંથી રૂ.અઢી લાખ જમા કરાવી દીધા હતા. તે પછી પણ રૂ.ર લાખ ૬૦ હજાર વ્યાજ પેટે આપી દીધા હતા. તે દરમિયાન એક ફ્રોડ કંપનીમાં આ બંને વ્યક્તિએ રોકેલા રૂ.૧૦-૧૦ લાખ ડૂબી ગયા હતા. તે રકમ પણ માંગી વ્યાજખોરે રૂ.૨૪ લાખ ૫૦ હજારની રકમ લખી ચેક બેંકમાંથી ફેરવી લીધો હતો. રૂ.પ લાખ સામે રૂ.૯ લાખ ૧૦ હજાર ભર્યા પછી પણ જાનથી મારી નાખવાની આ વેપારી તથા તેના પિતાને ધમકી અપાતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં શક્તિ પાર્કની શેરી નં.રમાં રહેતા અને ફરસાણની દુકાન ચલાવતા સુમિતભાઈ મહેશભાઈ પારવાણી નામના સિંધી યુવાનને વર્ષ ૨૦૨૩માં પૈસાની જરૂરિયાત ઉભી થતાં રૂ.પ લાખ ચાર ટકાના વ્યાજે રામેશ્વરનગર નજીક કે.પી. શાહની વાડી પાછળ નંદનવન પાર્કમાં આશાપુરા પ્રોવિઝન નામની દુકાન ચલાવતા વિજયસિંહ પ્રભાતસિંહ જાડેજા પાસેથી મેળવી તે રકમ ધંધામાં રોકી હતી.

ત્યારપછી દર મહિને રૂ.૨૦ હજાર વ્યાજ પેટે ભરવાનું શરૂ કરી સુમિતભાઈએ રૂ.૪ લાખ વ્યાજ પેટે ભરી દીધા હતા અને મૂળ રકમમાંથી રૂ.અઢી લાખ પણ જમા કરાવી દીધા હતા. તેમ છતાં વિજયસિંહે રૂ.૪ લાખની બાકી રકમ ગણાવી વ્યાજની માગણી કરતા સુમિતભાઈએ ૧૩ હપ્તામાં રૂ.ર લાખ ૬૦ હજાર વ્યાજપેટે ભર્યા હતા.

તે દરમિયાન છેલ્લા ચૌદેક મહિનામાં સુમિતભાઈની દુકાનેથી વિજયસિંહ જાડેજાએ હોલસેલમાં ફરસાણ ખરીદ્યુ હતું તેનો પણ હિસાબ વિજયસિંહ કરી આપતા ન હતા. જ્યારે રાજસ્થાનના જયપુરમાં એક આસામીની જાહેર કરાયેલી સ્કીમમાં રૂ.૧૦ લાખ વિજયસિંહ તથા સુમિતભાઈએ રોક્યા હતા. તે સ્કીમ બોગસ નીકળતા આ પૈસા ડૂબી ગયા હતા. તેથી વિજયસિંહે આ દસ લાખ રૂપિયાની પણ સુમિતભાઈ પાસે માગણી કરી હતી.

વ્યાજ, બાકી મુદ્દલનનું વ્યાજ અને હવે ફ્રોડ થયેલી રકમ રૂ.૧૦ લાખ પણ સુમિતભાઈએ આપવાના થતાં અને વિજયસિંહે પોતાની પાસે સુમિતભાઈનો પડેલો રૂ.૨૪ લાખ ૫૦ હજારની રકમ ભરી બેંકમાં જમા કરાવી દીધો હતો અને તે ચેક પરત ફરી ગયો હતો તેથી વ્યાજના રૂ.૬ લાખ ૬૦ હજાર અને મુદ્દલમાંથી રૂ.અઢી લાખ મળી રૂ.૯ લાખ ૧૦ હજાર ચૂકવી આપ્યા છે. તેમ છતાં ચેક કેમ પરત કરાવ્યો તેમ પૂછતા સુમિતભાઈને ફોન પર અને સુમિતભાઈ અને તેમના પિતા મહેશભાઈને રૂબરૂમાં પણ વિજયસિંહે જાનથી મારી નાખવાની ધમકી આપતા આખરે સુમિતભાઈએ પોલીસનું શરણું લીધુ છે. તેઓએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh