Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા ધરાવતા
જામનગર તા. ૬: કલાતીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા કલા-સાહિત્ય, સંશોધન વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારા કલાકારો-સર્જકો અને વિદ્વાનોને સન્માનીત કરવા માટે 'સંસ્કૃતિ સંવર્ધક સન્માન' ૨૦૨૫ નું આયોજન થયું હતું. વિવિધ મહાનુભાવોને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. જેમાં નગરના વરિષ્ઠ સાહિત્યકાર ડો સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ'ને પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં.
ડો. સતિષચંદ્ર વ્યાસ 'શબ્દ' ગુજરાતી સાહિત્ય જગતમાં કવિ તરીકે આગવી પ્રતિષ્ઠા ધરાવે છે તેમજ બંગાળી બાઉલ વિશેનો તેમના અભ્યાસ અને સંશોધનોથી તેઓ દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યા છે. ઇતિહાસકાર તથા સંશોધક તરીકે પણ તેઓનું નોંધપાત્ર પ્રદાન છે. તેઓને સંસ્કૃતિ સંવર્ધક સન્માન એનાયત થતા નગરના ગૌરવમાં વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial