Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના રાજપાર્કમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ

વિવિધ પ્રસંગો ઉજવાયાઃ ભાવિકો ઉમટી પડ્યા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગરમાં વિકટોરીયા પૂલથી આગળ રાજપાર્કમાં રાધેકૃષ્ણ સત્સંગ મંડળની બહેનો દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ આયોજનપૂર્વક યોજાયો હતો.

રાધેકૃષ્ણ સત્સંગ મંડળ દ્વારા આયોજીત આ શિવ મહાપુરાણની શરૂઆત તા. ર૦-૧ર-ર૦રપ ના થઈ હતી તથા આ કથામાં વ્યાસપીઠ ઉપર શ્રી હિતેશભાઈ શાસ્ત્રીએ બિરાજીને શિવ ભગવાનના સંદર્ભમાં વિવિધ પ્રસંગો તથા શિવ મહાત્મય કથા, નિષ્કલ સ્વરૂપ પ્રાગટ્ય, બીલીપત્ર, ભસ્મ તથા રૂદ્રાક્ષનો મહિમા, સતી ચરીત્ર, શિવ-પાર્વતી વિવાહ, કાર્તિકેય તથા ગણેશના પ્રાગટ્ય, હનુમાનજી પ્રાગટ્ય, ભૈરવ મહિમા તથા દ્વાદશ જ્યોર્તિલીંગોની કથા સાથે કથા વિરામ થયો હતો.

શિવ કથા શાસ્ત્રીજી હિતેશકુમાર દ્વારા ખૂબ જ સરળ અને ભાવવાહી શૈલીમાં તથા વિવિધ દૃષ્ટાંતો,ગીતો - ભજનો સંગીત સાથે રજૂ કરી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભાવિકો નજીકના વિસ્તારોમાંથી જોડાયા હતા તથા સવારે પોથી પૂજા તથા સાંજે આરતીમાં પણ ભાવિકો ઉમટ્યા હતાં. શિવ વિવાહ પ્રસંગે શિવજીની જાન પ્રયાણ તથા શિવ-પાર્વતી વિવાહ સુંદર વેશભુષા સાથે યોજાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh