Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-લાલપુર પોરબંદર રોડ
જામનગર તા. રરઃ માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), જામનગરના નિયંત્રણ હેઠળના માર્ગ અને મકાન પેટા વિભાગ, જામજોધપુર હસ્તકના જામનગર-લાલપુર-પોરબંદર રોડ (એસ.એચ.-ર૭) બીટ કિ.મી. ર૪/૦૦ થી રપ/૮૦૦ જે રસ્તાની લંબાઈ ર.૮૦૦ કિ.મી. છે. આ રસ્તા પર હયાત એ મેજર બ્રિજ કિ.મી. ર૬/૩ પર આવેલ છે. ડિઝાઈન સર્કલ તરફથી થયેલ ઈન્સ્પેક્શનમાં બ્રિજની સ્થિતિ ખરાબ જણાવેલ છે, તેમજ મલ્ટી મીડિયા કન્સલ્ટન્ટ દ્વારા પણ બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી ભારે તથા તેનાથી ઉપલી શ્રેણીના વાહનો માટે અવર-જવર બંધ રાખવા સૂચન કરેલ છે. કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી રસ્તો બંધ રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા બ્રિજ પર તમામ પ્રકારના વાહનો તથા તેનાથી ઉપલી શ્રેણીના વાહનોની અવરજવર પર પ્રતિબંધ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર-લાલપુર-પોરબંદર રોડ (એસ.એચ.-ર૭) કૈલાશ પેટ્રોલ પંપથી સેવક ભાટિયા જંક્શન સુધી કે જેની ચેઈનેજ કિ.મી. ર૪/૦ થી ર૬/૮ અને લંબાઈ ર.૮૦૦ કિ.મી. રસ્તો બંધ રહેશે. જેના વૈકલ્પિક રૃટ તરીકે કૈલાશ પેટ્રોલ પંપ-હરિપર એપ્રોચ રોડ-સેવક ભાટિયા જંક્શનવાળો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪પ મો અધિનિયમ), ર૦ર૩ ની કલમ-રર૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial