Advertisement
Author: નોબત સમાચાર

શેઠ હંસરાજ લધા ચેરીટી ટ્રસ્ટમાં વિદ્યાર્થિનીઓની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગરમાં ડીએસપી બંગલા સામે આવેલ શેઠ હંસરાજ લધા ચેરીટી ટ્રસ્ટમાં બહારગામથી આવતી અને ધોરણ ૯ થી ઉપરના વર્ગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રહેવા માટે પ્રવેશ આપવામાં આવે છે. વર્ષ ર૦રપ-ર૬ ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ આપવાની ચેરીટી ટ્રસ્ટ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રવેશ માટેના ફોર્મ તા. ર૭-૪-ર૦રપ થી તા. ર૮-પ-ર૦રપ સુધીમાં સવારે ૯ થી ૧ર અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી સંસ્થાની ઓફિસમાંથી આપવામાં આવશે.

ફોર્મની પ્રક્રિયા પૂર્ણ થયા પછી સંસ્થામાં રહેવા માટે ઈચ્છતી વિદ્યાર્થિનીઓના તા. ૩૧-પ-ર૦રપ ના બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી અને તા. ૧-૬-ર૦રપ ના સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા સુધી ઈન્ટરવ્યૂ યોજાશે. જામનગર બહારના વિસ્તારમાંથી જામનગર શહેરમાં અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થિનીઓએ ઉપરોક્ત તારીખ દરમિયાન ટ્રસ્ટની ઓફિસમાંથી ફોર્મ મેળવવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh