Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ શખ્સે ઢોરમાર મારી ફ્રેક્ચર કરી નાખ્યું:
જામનગર તા.ર૯ : ખંભાળિયા તાલુકાના હરીપર ગામના એક આસામીએ રૂ.૧૦ હજાર ૧૦ ટકાના વ્યાજે લઈ રૂ.રપ હજાર ચૂકવ્યા પછી પણ વધુ વ્યાજની માગણી કરી તેઓને પાંચ શખ્સે મોટરસાયકલમાં બેસાડી અપહરણ કર્યા પછી ધોકાથી માર મારી ફ્રેક્ચર કરી નાખ્યાની ફરિયાદ થઈ છે.
ખંભાળિયા તાલુકાના હરીપર ગામમાં મહાવીર નગરમાં રહેતા શામજીભાઈ નારણભાઈ કારવાણી નામના આસામીએ બેએક વર્ષ પહેલાં ખંભાળિયાના ભાયાભાઈ હરીપર લુણા પાસેથી રૂ.૧૦ હજાર ૧૦ ટકાના વ્યાજે લીધા હતા.
તેની સામે રૂ.રપ હજાર ચૂકવી આપ્યા હતા. તેમ છતાં વધુ વ્યાજની માગણી કરી ભાયાભાઈએ શનિવારે સુરજ બાગ મંદિર પાસે બોલાવી શામજીભાઈને ધોકાથી માર માર્યાે હતો. જ્યારે મહેશ ભાયાભાઈ, રઘુ ભાયાભાઈએ ધરારથી મોટરસાયકલમાં બેસાડી અપહરણ કર્યા પછી વિપુલ ખેરાજભાઈ, દેવા જેઠાભાઈ લુણા સાથે મળી શામજીભાઈને માર મારી ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ બાબતની ખંભાળિયા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial