Advertisement
Author: નોબત સમાચાર

ચાર મહિના સુધી સોલાર પેનલ લગાવી ન આપનાર પેઢી સામે ગ્રાહક ફોરમમાં ધા

પૂરેપૂરી રકમ જમા કરાવ્યા પછી પણ બતાવાયો ઠેંગોઃ

                                                                                                                                                                                                         

જામનગર તા. ૧: જામનગરના સિક્કામાં એક આસામીએ સોલાર પેનલ લગાવવા માટે જે તે કંપનીની ઓફિસમાં વાતચીત કર્યા પછી પૂરેપૂરી રકમ ભરપાઈ કરી આપી હોવા છતાં ચાર મહિના સુધી સોલાર પેનલ લગાવી આપવામાં ન આવતા આ કંપની સામે ગ્રાહક ફોરમ માં ધા નાખવામાં આવી છે.

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા ઋષિકેશ વિશ્વનાથ ૫ંડા નામના આસામીએ પોતાના રહેણાંકમાં સોલાર પેનલ લગાવવા જામનગરમાં મોનાલીસા કોમ્પલેક્ષમાં ઈન્ટીફાય સોલાર પ્રા.લિ. નામની પેઢીનો સંપર્ક કરી વાતચીત કરતા તેઓને રૂ.૨ લાખ રર હજારનું એસ્ટીમેન્ટ અપાયું હતું.

ત્યારપછી રૂ.૧પપ૪૦૦ ભરી રૂ.૬૬૬૦૦ પછી ભરવાના હતા. તેમ છતાં ફૂલ પેમેન્ટની માગણી કરતા ગ્રાહકે પૂરેપૂરી રકમ ભરી આપી હતી. આ પછી પણ સોલાર પેનલ મૂકી આપવામાં આવી ન હતી તેથી ગ્રાહકે જામનગર સ્થિત ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh