Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે આમઆદમી પાર્ટી દ્વારા ઉપવાસ કરાયા

લોકોની શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે તા. ૧-પ-ર૦રપ ના આમઆદમી પાર્ટી, જામનગર દ્વારા રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસન ઉપાવસ કરવામાં આવ્યો હતો.

આજે ગુજરાતના લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે, ધંધા-રોજગાર બરબાદ થઈ ગયા છે. રાજ્યમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યું છે. મહિલાઓ અને વેપારીઓ અસુરક્ષિત મહેસુસ કરી રહ્યાં છે. મોંઘવારીએ માજા મૂકી છે.

બાળકોના ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયા છે. ત્યારે 'આપ' દ્વારા લોકોને શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે તા. ૧લી મે એટલે કે, ગુજરાત સ્થાના દિવસે એક દિવસનો ઉપવાસ કરવામાં આવ્યો હતો. અને સવારે ક્ષ૧ વાગ્યે શરૂ કરેલ ઉપવાસ સાંજે ૬ વાગ્યે પૂર્ણ થયો હતો. તેમ આમઆદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh