Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષની કરાઈ હતી સજાઃ
જામનગર તા. ૩૧: જામનગરના એક આસામીને ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ અને દંડ ફટકારાયા હતા. હુકમ સામેની અપીલનો સમય પૂર્ણ થતાં સજાના વોરંટની બજવણી કરી આરોપીને જેલમાં મોકલી અપાયો છે.
જામનગરના મોહિત સુભાષભાઈ નંદા નામના આસામી પાસેથી મિત્રતાના દાવે રૂ।.૧ લાખ જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડે હાથઉછીના મેળવી તે રકમ પરત કરવા ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પરત ફરતા જીતેન્દ્ર રાઠોડ સામે અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ અને રૂ।.૧ લાખ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે હતો. તે હુકમ સામે આપવામાં આવેલી અપીલની મુદ્દત પૂર્ણ થતાં અદાલતે આરોપીને સજા વોરંટ હેઠળ પકડી જેલહવાલે કરાવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ મિતુલ હરવરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial