Advertisement
Author: નોબત સમાચાર

પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં ક્રેશ થતા અફરાતફરીઃ રેસ્ક્યું શરૂ

વિમાનમાં સવાર બન્ને પાયલોટ સુરક્ષિતઃ

                                                                                                                                                                                                      

લખનૌ તા. ર૧: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બુધવારે વાયુસેનાનું એક તાલીમી વિમાન કે.પી. કોલેજની પાછળ આવેલ તળાવમાં ક્રેશ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસ તેમજ જિલ્લા વહીવટી તંત્રને જાણ કરી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિમાન જ્યારે હવામાં હતું ત્યારે સામાન્ય જણાતું હતું, પરંતુ અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે તેજીથી નીચે આવીને તળાવમાં ખાબક્યું હતું. વિમાન પડવાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. સેંકડો સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે ઉમટી પડ્યા હતાં અને પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ અને બચાવ કામગીરીની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. વહીવટી તંત્રે હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને રાહત કામગીરી ચાલુ હોવાથી આસપાસની સુરક્ષા વધારવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્ય છે. રાહતની વાત એ છે કે વિમાનમાં સવાર બન્ને પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh