Advertisement
Author: નોબત સમાચાર

જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા તા. ર૬ જાન્યુઆરીએ સોમનાથ-દીવનો પ્રવાસ

દર વર્ષની પરંપરાગત્ મુજબ આ વર્ષે પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. રરઃ ભૂકંપ, વાવાઝોડું કે કોરોના વગેરે જેવી વિષમ પરિસ્થિતિઓમાં પણ જામનગરના અખબારી વિતરકો પોતાની ફરજ ચૂકતા નથી. વર્ષમાં એક વખત રજાની મજા માણતા અખબારી વિતરકો માટે જામનગર અખબાર વિતરક મંડળ દ્વારા આગામી તારીખ ૨૬ જાન્યુઆરીના સોમનાથ અને દીવના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રવાસમાં જોડાવવા માગતા મંડળના સભ્યોએ તાત્કાલિક તેમના નામ નોંધાવી લેવા. તા. ર૬-૧-ર૦ર૬ ના રાત્રે ૧૦ વાગ્યે ત્રણબત્તી પાસેથી પ્રવાસનું પ્રયાણ થશે. તારીખ ર૭ ના રાત્રે પરત આવશે. નામ નોંધાવવા અને વધુ વિગત મેળવવા મંડળના અગ્રણીઓ અશ્વિનભાઈ મોદી (૯૯ર૪પ ર૧૪૮૩), રિખિલભાઈ મોદી (૯ર૭૭૩ પ૧૧ર૧), દિલીપસિંહ જાડેજા (૯૮ર૪૮ રપ૭૯૮) નો સંપર્ક કરવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh