Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કસ્ટમર સેટિસ્ફેક્શન ઈન્ડેક્ષમાં પાંચમાંથી ૪.૯૬ ગુણઃ
જામનગર તા. ર૩: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટ એ કસ્ટમર સેટિસ્ફેક્શન ઈન્ડેક્સ સર્વે રાઉન્ડ-ર, ર૦રપ માં પાંચમાંથી ૪.૯૬ નો ઉત્તમ સ્કોર પ્રાપ્ત કરીને દેશભરના ૬૩ એરપોર્ટસમાં ૪થો ક્રમ મેળવ્યો છે. સાથે જ જામનગર એરપોર્ટને ગુજરાત રાજ્યના એરપોર્ટસમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે.
સર્વે પરિણામો મુજબ જામનગર એરપોર્ટએ મુસાફર સુવિધાઓના મોટાભાગના ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરની કામગીરી દર્શાવી છે. એરપોર્ટ સુધી અને એરપોર્ટથી આવન-જાવન સુવિધામાં (૪.૯૧), કાર્કિંગ સુવિધાઓ (૪.૯૧), બેવેજ ટ્રોલીની ઉપલબ્ધતા (૪.૯૩), ચેક-ઈન માટેનો રાહ જોવાનો સમય (૪.૯૪) તથા ચેક-ઈન સ્ટાફની કાર્યક્ષમતા (૪.૯૭) જેવા પરિમાણોમાં ઉત્તર ગુણાંક પ્રાપ્ત થયા છે.
સ્વચ્છતા અને મુસાફર સુવિધાઓ જામનગર એરપોર્ટની મુખ્ફ શક્તિ રહી છે, જેમાં ટર્મિનલની સ્વચ્છતા (૪.૯૬), શૌચાલયોની ઉપલબ્ધતા (૪.૯૯), શૌચાલયોની સ્વચ્છતા (૪.૯૧), ટર્મિનલની અંદર ચાલવાની સુવિધા (૪.૯૪) અને એરપોર્ટમાં માર્ગ શોધવાની સરળતા (૪.૯૭) નો સમાવેશ થાય છે. ફ્લાઈટ માહિતી ડિસ્પ્લે સિસ્ટમને ૪.૯૯ નો ઉત્તમ સ્કોર મળ્યો છે.
રેસ્ટોરન્ટ અને સુવિધાઓ માટે રેસ્ટોરન્ટ/ર્ભોજન સુવિધા (૪.૯૭), શોપિંગ માટે મૂલ્ય-પ્રતિ-પૈસા (૪.૯પ), વાઈ-ફાઈ/ઈન્ટરનેટ સેવા (૪.૯પ) તથા એરપોર્ટનું વાતાવરણ (૪.૯ર) નોંધપાત્ર રહ્યા છે. સુરક્ષા અને સ્વચ્છતા બાબતે સુરક્ષા તથા હાઈજીન વ્યવસ્થાની અસરકારકતા (૪.૯૮) અને મુસાફરોનો વિશ્વાસ સ્તર (૪.૯૧) ઊંચો રહ્યો છે. ખાસ કરીને મુસાફરો દ્વારા અનુભવાયેલ તણાવનું સ્તર માત્ર ૧.૦૪ નોંધાયું છે.
આ સિદ્ધિ જામનગર એરપોર્ટના સંચાલન અને કર્મચારીઓની સમર્પતિ કામગીરીનું પ્રતિબિંબ છે અને એપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની મુસાફર કેન્દ્રિત સેવા પ્રતિબદ્ધતા મજબૂત બનાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial