Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોરોનાકાળમાં પત્નીની સારવાર માટે લીધી હતી રકમઃ
જામનગર તા. ૧: જામનગરના એક આસામીએ ચાર વર્ષ પહેલાં પત્નીની બીમારીની સારવાર માટે રૂ.પોણા બે લાખ હાથઉછીના મેળવી દસ ટકા લેખે વ્યાજ સાથે રૂ.સાડા ત્રણ લાખ ચૂકવી આપ્યા પછી પણ વધુ રૂ.પોણા ચાર લાખની માગણી કરી બે શખ્સે ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના ગુલાબનગર નજીક આવેલા વિભા૫રમાં આરોગ્ય કેન્દ્ર પાસે વસવાટ કરતા વિપુલભાઈ જયેન્દ્રભાઈ અગ્રાવત નામના આસામીએ વર્ષ ૨૦૨૧માં તેઓના પત્નીને કોરોના થતાં સારવાર માટે પૈસાની જરૂરિયાત ઉપસ્થિત થતાં રૂ.પોણા બે લાખ નવાગામ ઘેડના ગાયત્રી ચોકમાં રહેતા યોગીભાઈ જાડેજા પાસેથી દસ ટકાના વ્યાજે લીધા હતા.
ચાર વર્ષ સુધી વ્યાજ ચૂકવી વિપુલભાઈએ રૂ.પોણા બે લાખ સામે રૂ.સાડા ત્રણ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂ.પોણા ચાર લાખ મુદ્દલ તેમજ વ્યાજ સાથે માંગી ધ્રુવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અવારનવાર ફોન કરી ઉઘરાણી કરતા હતા અને ગાળો ભાંડતા હતા. જ્યારે યોગી જાડેજાએ પણ રૂ.પોણા ચાર લાખની માગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિપુલભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ જે.પી. સોઢાએ આઈપીસી ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪ તથા મની લેન્ડર્સ એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial