Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીકની વૃંદાવન ગૌશાળામાં ૨૦૦૦ કિલો લાડુ બનાવી ગૌમાતાને ખવડાવાયા

મકરસંક્રાંતિ પર્વની પ્રેરણાત્મક ઉજવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જાંબુડા અને બાલાચડી વચ્ચે આવેલી સુપ્રસિદ્ધ વૃંદાવન ગૌશાળામાં મકરસંક્રાંતિની પ્રેરણાત્મક ઉજવણી કરવામાં આવી હતી. નિરાધાર ગાયોના ભોજન માટે લાડુ બનાવવવામાં આવ્યા હતા. પ્રમુખ અને સંચાલક ચંદુભાઈ રાજ્યગુરૂના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ દરમ્યાન ૨૦૦૦ કિલો લાડુ બનાવીને ગાયમાતાને ખવડાવવામાં આવ્યા હતા. વૃંદાવન ગૌશાળાની ૫૦૦ ગાય ઉપરાંત નંદી અને વાછરડા સહિત ગૌવંશને ભોજન કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન એપીએમસી ઈન્સ્પેકટર ઘનશ્યામભાઈ વાદી, જયંતિભાઈ વાદી, અરજણભાઈ રાઠોડ, ધર્મા ઈન્ડસ્ટ્રીઝના ગંભીરસિંહ સોઢા, જે.જે.જાડેજા, વશરામભાઈ રાઠોડ, વલ્લભ ભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, જીતેશભાઈ પારેખ, જીવદયા ગ્રુપના રાકેશભાઈ વોરા, જાંબુડાના સરપંચ મનસુખભાઈ પરમાર અને ઉપ સરપંચ બાબુભાઈ ભરવાડના સહયોગથી તથા મિત્ર મંડળ અને તમામ મહેમાનોની ઉપસ્થિતિથી આ સમગ્ર કાર્યક્રમ સાકાર થયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh