Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મત્સ્યદ્યોગ અધિક્ષકની સૂચનાથી પણ અભેરાઈએઃ
ઓખા તા. ૩૦: ઓખા પંથકના માછીમારો લોન લેવા ઈચ્છે તો તેઓએ ધરાર એક વચેટીયાના શરણમાં જઈ 'પ્રસાદી' ધરવી ફરજિયાત હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. માછીમારોને આ કૌભાંડનો ભોગ બનતા બચાવવા માટે મત્સ્યદ્યોગ અધિક્ષકે કેટલીક સૂચનાઓ જારી કરી છે. જો કે, તેનો અમલ થઈ રહ્યો નથી!
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પંથક સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા માછીમારોને દ્વારકામાં શાખા ધરાવતી બેંક ઓફ ઈન્ડિયા માંથી લોન અપાવવામાં એજન્ટની ભૂમિકા ભજવતા વસીમ જુમા ચૌહાણ નામનો શખ્સ લોન પાસ કરાવવા લોન દીઠ રૂ.૭૦ હજારથી રૂ.૧ લાખ પડાવી લેતો હોવાની બૂમ ઉઠી છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ કોઈ વ્યક્તિ લોન મેળવવા માટે બેંકમાં જાય તો તેઓને વસીમ જુમાનો સંપર્ક કરવાનું કહેવાઈ રહ્યું છે. બીજાને લોન અપાવી કમીશન મેળવી લેતા આ શખ્સ દ્વારા તે પૈસામાંથી અન્ય બોટ માલિક કે માછીમારને ૧૦ ટકા વ્યાજ મેળવી હાથઉછીની રકમ આપવામાં આવી રહી છે.
આ કૌભાંડની ગંધ આવી જતાં ઓખા મત્સ્યદ્યોગ અધિક્ષક દ્વારા માછીમારોને લોન આપવામાં બોટની ભૌતિક ખરાઈ કરવા તથા બોટ સાથે બોટમાલિકના કલર ફોટા, બેંકના સહી-સિક્કા સાથે મત્સ્યદ્યોગ કચેરીમાં રજૂ કરવા માટે બેંક ઓફ ઈન્ડિયાની દ્વારકા તથા ઓખા શાખા તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઓખા શાખાને લેખિતમાં જાણ કરવામાં આવી છે.
ઉપરોક્ત કથિત કૌભાંડમાં મહદઅંશે તમામ ગોલમાલ દ્વારકામાં શાખા ધરાવતી બેંક ઓફ ઈન્ડિયામાં થઈ રહી છે તેવો આરોપ લાગી રહ્યો છે. વસીમ જુમા બેંકના પૈસા પર વ્યાજ વટાઉનો ધંધો કરતો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વધુમાં જાણવા મળ્યા મુજબ મત્સ્યદ્યોગ અધિકારીની તાકીદને પણ અવગણવામાં આવી રહી છે. રાજ્ય સરકારે વ્યાજખોરી ડામવા ખાસ અભિયાન હાથ ધર્યું છે ત્યારે આ કિસ્સામાં તે અભિયાન ફેઈલ સાબિત થઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial