Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલ ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે મુલતવી

બીસીસીઆઈની જાહેરાત

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૯ઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ૮ મેના ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ મેચ રદ કરી દેવાઈ હતી. ત્યારબાદ આજે બીસીસીઆઈએ મોટો નિર્ણ લેતા ઈન્ડિયન પ્રીમયર લીગની વર્તમાન સિઝન અનિશ્ચિત સમય માટે મોકૂફ કરી દીધી છે.

આ મોટો નિર્ણ ૯ મેના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આજથી કોઈ મેચ નહીં હોય, હવે બીસીસીઆઈની પહેલી પ્રાથમિકતા વિદેશી ખેલાડીઓને ઘરે મોકલવાની છે. બીસીસીઆઈ ટૂંક સમયમાં નવી તારીખોની જાહેરાત કરશે.

હાલ આઈપીએલ ૨૦૨૫ની તમામ મેચ મોકુફ રાખવામાં આવી છે. હવે વિશ્વની સૌથી રોમાંચક ટી૨૦ લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh