Advertisement
Author: નોબત સમાચાર

જમીનમાં રોકાણના નામે જામનગરના શખ્સે કરી રૂ।.સાડા નવ લાખની છેતરપિંડી

રાજકોટના એક વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: રાજકોટમાં વસવાટ કરતા એક નિવૃત્ત કર્મચારીએ પોતાની સાથે રૂ।.સાડા છ લાખની છેતરપિંડી આચરવા અંગે જમીન-મકાનનું કામ કરતા જામનગરના શખ્સ સામે રાજકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના નાના મવા રોડ પર નહેરૂનગરમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી કરશનભાઈ રૈયાભાઈ પરસાણા (ઉ.વ.૬૩) નામના વૃદ્ધે જમીનમાં રોકાણના નામે પોતાની સાથે રૂ।.સાડા નવ લાખની છેતરપિંડી કરી લેવા અંગે જામનગરના રણજીતસાગર રોડ પર શિવધારા રેસીડેન્સીમાં રહેતા વિજય ભગવાનજી મુંગરા સામે રાજકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેઓ રિટાયર્ડ થયા પછી ખેડૂત ખાતેદાર પોતાના સાળી ધર્મિષ્ઠાબેન અને સાઢુભાઈ વલ્લભભાઈ સાથે રહી જમીન ખરીદવામાં રસ બતાવ્યો હતો. તે પછી પૈસાની વ્યવસ્થા કરી રાખો તેમ કહી વિજય મુંગરાએ રૂ।.સાડા તેર લાખ મેળવ્યા હતા અને તેની સામે જમીનમાં નફો થાય ત્યારે આ ચેક બેંકમાં ભરજો તેમ કહી રૂ।.સાડા છ લાખના ત્રણ ચેક આપ્યા હતા. તે પછી રૂ।.૪ લાખ કરશનભાઈને પરત મળ્યા હતા અને બાકીની રકમ ચાઉં કરી જવાઈ હતી. તેઓની જાણ બહાર વિજયે જે જમીન ખરીદી હતી તે પણ વેચી નાખી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh