Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનુભાવો-હોદ્દેદારો-સભ્યોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૨૨: ગત તા. ૧૭-૧-૨૬ શનિવારે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા રણજીત સાગર ડેમ પાસેના મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં પારિવારિક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના મંત્રી હંસરાજભાઈ ગજેરા, સૌરાષ્ટ્રના દિનેશભાઈ ડાંગરીયા, જામનગરના દરેક એસોસિએશનના પ્રમુખો, સીડબીના અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગકેન્દ્રના અધિકારીઓ, જામનગર જિલ્લા સંઘ કાર્યવાહક રાકેશભાઈ ચાંગાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી હંસરાજભાઈ ગજેરાએ લઘુ ઉદ્યોગ ભારતી વિશે માહિતગાર કર્યા હતા. સૌરાષ્ટ્રના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ પ્રસંગ અનુરૂપ પ્રવચન કર્યું હતું. સીડબીના અધિકારીઓએ સરકાર દ્વારા ઉદ્યોગકારોને અપાતી યોજના વિશે માહિતગાર કર્યા હતા. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓને મળવાપાત્ર સબસીડી વિશે માહિતી આપી હતી. રાકેશભાઈ ચાંગાણીએ પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં ૧૨૫૦થી વધુ સભ્યો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial