Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતાપરના ખેડૂતે છેતરપિંડીની કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૦ઃ જામજોધપુરના ત્રણ વેપારીએ કેટલાક ખેડૂતોને તેઓની જણસ ઉધારમાં ખરીદી કરી લીધા પછી પેઢીને તાળા મારી દીધા હતા. આ બાબતની જામજોધપુર તાલુકાના સતાપર ગામના ખેડૂતે ગયા સપ્તાહે પોલીસમાં ફરિયાદ નોેંધાવી હતી. નાસી છૂટેલા ત્રણેય વેપારી ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં વસવાટ કરતા કેટલાક ખેડૂતો સાથે જામજોધપુરના માર્કેટ યાર્ડમાં આવેલી વિઠ્ઠલાણી બ્રધર્સ નામની પેઢીવાળા રમેશભાઈ મથુરાદાસ વિઠ્ઠલાણી, ગોપાલ મથુરાદાસ, કિશન રમેશભાઈ વિઠ્ઠલાણી નામના ત્રણ આસામીએ છેતરપિંડી આચર્યાની ગયા સપ્તાહે પોલીસમાં ફરિયાદ થઈ હતી.
આ વેપારીઓએ કેટલાક ખેડૂતોનો સંપર્ક કરી તેઓની જણસ પોતાને વેચવા માટે વાત કર્યા પછી રૃપિયા બત્રીસેક લાખનો ચૂનો ચોપડી દીધો હતો. ઉધારમાં જણસ ખરીદી આ વેપારીઓે દુકાનને તાળા મારી ગુમ થઈ ગયા હતા. તમામ ખેડૂતો વતી સતાપરના એક ખેડૂતે પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી.
તેની ચાલી રહેલી તપાસ દરમિયાન ગઈકાલે રમેશભાઈ વિઠ્ઠલાણી, તેમનો પુત્ર કિશન અને ભાઈ ગોપાલ મથુરાદાસ પોલીસ સમક્ષ હાજર થયા છે. આ વેપારીઓ જામજોધપુરથી પરિવાર સાથે નીકળી ગયા પછી મહારાષ્ટ્રના નાસીકમાં પહોંચ્યા હોવાનું અને ત્યાંથી પરત ફરી પોલીસ સમક્ષ હાજર થઈ ગયાનું બહાર આવ્યું છે. પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial