Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના આરબીએસકે ટીમ-૨ દ્વારા વેરાડ અને કિશનગઢમાં પાંચ બાળકોનું સ્ક્રીનીંગ

પાંચ બાળકોમાં તકલીફ જણાતા સારવાર-સર્જરી કરાઈઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૪: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી ૧૮ વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોને જન્મથી જ રહેલ ખોડખાંપણ, રોગો, અપૂર્ણતાઓ અને શારીરિક વિકાસમાં વિલંબ આ ચાર આધારે બાળકોને ચિન્હિત કરીને તેમને મફત ઈલાજ અને સર્જરી તેમજ સમગ્ર ટ્રીટમેન્ટ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકામાં ભાણવડ તાલુકાની આર.બી.એસ.કે. ટીમ-૨ દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વેરાડ તાલુકા શાળા તથા કૃષ્ણગઢ પ્રાથમિક શાળામાં બાળકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનીંગથી પાંચ બાળકોમાં તકલીફ જણાતા બાળક અને પરિવારનું જરૂરી કાઉન્સેલીંગ કરીને તેમને ટીમના ડોક્ટર દ્વારા જામનગર ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર દ્વારા તેઓની ચકાસણી (ઈકોકાર્ડિયોગ્રામ) કરતા ૩ બાળકોને હૃદયની જન્મજાત ખામી જણાઈ આવેલ હતી.

આ બાળકોને જરૂરી સારવાર અને સર્જરી માટે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. બીજા બે બાળકોમાં એક ને આંચકી તથા બીજા બાળકને ચક્કર આવવાના લક્ષણો જણાતા  ત્યાં જ તબીબી દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં જી.જી.હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડો. નમ્રતાજીનો પૂરતો સહકાર પ્રાપ્ત થયો હતો. તમામ બાળકોના વાલીઓએ સરકાર તેમજ આર.બી.એસ.કે. ટીમ (ભાણવડ) અને ડો. ભાવિક સોનગરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh