Advertisement
Author: નોબત સમાચાર

બીમારીના કારણે અવસાન પામનાર આસામીના વીમાનું વળતર ચૂકવવા હુકમ

રૂ।.૯૦ લાખ વ્યાજ સાથે ચૂકવાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરના એક આસામીએ પોતાની બીમારીઓ દર્શાવી વીમા કંપની પાસેથી પોલિસી મેળવ્યા પછી તેઓનું બીમારીના કારણસર મૃત્યુ નિપજ્યું હતું. તેઓનો ક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર કરાતા ગ્રાહક ફોરમમાં ધા નાખવામાં આવી હતી. ફોરમે રૂ।.૯૦ લાખ વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે.

જામનગરના કિરીટભાઈ ફળદુ નામના આસામીએ બજાજ એલિયાન્સ લાઈફ સ્માર્ટ પ્રોટેક્શન નામની પોલિસી મેળવી હતી. તે વેળાએ કિરીટભાઈએ વર્ષ ૨૦૧૪માં તેમજ વર્ષ ૨૦૧૯માં લીધેલી તબીબી સારવારની જાણકારી આપવા ઉપરાંત ડાયાબિટીસ અને વધુ વજન હોવાની પણ જાણ કરી હતી.

આ વેળાએ વીમા કંપની દ્વારા મેડિકલ ચકાસણી કરાવાઈ હતી અને તે મુજબ પ્રિમિયમ મેળવવામાં આવ્યું હતું. ત્યારપછી સવા વર્ષ પહેલાં કિરીટભાઈનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વીમા કંપનીએ તે અંગેનો ક્લેઈમ રદ્દ કરી નાખ્યો હતો.

સદ્ગતના પત્ની શોભનાબેન ફળદુએ ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યાં તેમના પતિ દ્વારા પોલિસી લેતી વખતે કોઈ બીમારી છૂપાવવામાં આવી ન હતી તેવી દલીલ કરાતા ફોરમે રૂ।.૯૦ લાખ વ્યાજ તથા ખર્ચ સાથે ચૂકવી આપવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh