Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના શીશાંગ પાસે ચાલીને જતાં બે પ્રૌઢ પર બાઈક ફરી વળ્યું: બંનેને ઈજા થઈ

જાયવાના અકસ્માતની પોલીસમાં ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: ધ્રોલના જાયવા ગામ પાસે ગઈકાલે સવારે સર્જાયેલા અકસ્માતમાં ધ્રોલના પ્રૌઢનો ભોગ લેવાયો હતો. અકસ્માત સર્જનાર મોટરચાલક ખંભાળિયા તાલુકાના શખ્સ સામે ફરિયાદ કરાઈ છે. ગયા રવિવારે સાંજે કાલાવડના શીશાંગ પાસે ચાલીને જતા બે બંધુને એક બાઈકે ઠોકર મારતા બંનેને ઈજા થઈ હતી. તેની પણ પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલના જાયવાથી લૈયારા ગામ વચ્ચે ગઈકાલે સવારે પેટ્રોલપંપમાં નોકરી પૂર્ણ કરીને મોટરસાયકલ પર નીકળેલા ધ્રોલના રાજેશભાઈ વિનુભાઈ વાજાર નામના પ્રૌઢના બાઈક ને જાયવા ગામ પાસે જીજે-૬-એલકે ૨૧૩૫ નંબરની મોટરે ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં બાઈકચાલક રાજેશભાઈ (ઉ.વ.પ૧)નું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું. મોટરના ચાલક જામખંભાળીયાના બારાડી બેરાજા ગામના રણમલ મારખીભાઈ માડમ સામે ધ્રોલ પોલીસ મથકમાં ધ્રોલના પુરણદાસ નવનીતલાલ અગ્રાવતે ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના શીશાંગ ગામ પાસેથી ગયા રવિવારે સાંજે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતા અજીઝભાઈ અલીભાઈ પતાણી (ઉ.વ.પ૭) તથા તેમના ભાઈ જુમાભાઈ અલીભાઈ (ઉ.વ.પ૪) ચાલીને જતા હતા ત્યારે મોટરસાયકલ પર ધસી આવેલા શીશાંગ ગામના પ્રકાશ જીતરા નામના શખ્સે તેઓને ઠોકર મારી પછાડતા બંને ભાઈઓને ઈજા થઈ છે. એજાઝ અજીઝભાઈએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh