Advertisement
Author: નોબત સમાચાર

જામનગર વિભાગ એસ.ટી.મઝદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા સંપન્નઃ હોદ્દેદારોની વરણી

અગ્રણીઓની ઉપસ્થિતિમાં જામજોધપુર જલારામ મંદિરે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: જામનગર વિભાગીય એસ.ટી.મઝદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા જામજોધપુર જલારામ મંદિરમાં યોજવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ વંદીપસિંહ, મહામંત્રી મુકેશભાઈ, કાર્યકારી પ્રમુખ જગદીશભાઈ, કોષાધ્યક્ષ ધર્મેશભાઈ, પ્રભારી ચંદુભાઈ, પ્રદેશ મંત્રી રાજદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

ચૂંટણીમાં અધિકારી દ્વારા સર્વાનુમતે જામનગર વિભાગની ટીમની વરણી કરવામાં આવી છે. જેમાં  પ્રમુખપદે જયેન્દ્રસિંહ વાળા, મહામંત્રી ભીમશી ચાવડા, ઉપપ્રમુખ સંજયભાઈ ડોડીયા અને અજયરાજસિંહ ગોહિલ, સહમંત્રી હીતેશ ગઢવી અને હીતેન્દ્રસિંહ જાડેજા તથા કોષાધ્યક્ષ પદે નરેશભાઈ ઠાકરની વરણી કરવામાં આવી છે.

જામનગર ડેપોની ટીમ દ્વારા નવનિયુક્ત મહામંત્રી ભીમશીભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા પૂર્વ મહામંત્રી સંજયભાઈ ડોડીયા, પ્રદેશ મંત્રી રાજદીપસિંહ ગોહિલ, કાર્યાલય મંત્રી સોલંકીભાઈ, આગેવાન વાળાભાઈ, જોગલભાઈ, રોહીતભાઈ, રાહુલભાઈ, અનિલભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh