Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક માસના બદલે ત્રણ માસ ખનન કર્યું
જામનગર તા. ૨૬: જામનગર તાલુકાના ચાવડા ગામની સરકારી પડતર જમીનમાં પરમીટની માંગણી સામે વાંધા અરજી, તથા હાલની ફરિયાદ અન્વયે કાયદેસર કાર્યવાહી અંગે ભૂસ્તર શાસ્ત્રી સમક્ષ અરજી કરવામાં આવી છે.
જામનગરના રામેશ્વર નગરમાં રહેતા પ્રદિપસિંહ તખુભા જાડેજાએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે પોતાની ખેતીની જમીન ચાવડા ગામમાં છે. થોડા સમય પહેલા ચાવડા ગામના ભિખુભા જુવાનસિંહ જાડેજાનેે ખાણ-ખનીજ વિભાગમાંથી એક મહિના માટે માટી/મોરમના ઉપાડ/ખોદકામ માટે પરમીટ આપવામાં આવી હતી. તેનો ગેરલાભ લઈને ત્રણ માસ સુધી માટી/મોરમ ઉપાડી હતી અને સરકારની રોયલ્ટીનો ચોરી કરી હતી.
ખાણ ખનીજ વિભાગના કોઈ અધિકારી સાથે મળીને આ કૃત્ય કરવામાં આવ્યું છે. ચાવડા ગ્રામ પંચાયત તથા તલાટી મંત્રી સામે ભિખુભા જાડેજાએ ભળી જઈને હાલમાં નવી પરમીટની માંગણી કરી છે. જે માટે ચાવડા ગ્રામ પંચાયતનો ઠરાવ પણ આવ્યો છે. આ ઠરાવ ગ્રામ સભામાં થયો નથી તેમ તેઓને જાણવા મળ્યું છે. તેમજ જમીન અંગે ચોક્કસ ખુલાસો પણ રજૂ કરાયો નથી. જો નવી પરમીટ આપવામાં આવે તો રસ્તા અંંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે. અગાઉ કરેલ ગેેરકાયદે ખનન અંગે ગ્રામ પંચાયત કે ખાણ ખનીજ વિભાગની કચેરીએ કોઈ કાર્યવાહી કરી નથી.
અગાઉ એક માસના બદલે સતત ત્રણ માસ સુધી ખનન કરી વાહનોની અવર જવર થતા રસ્તાઓ તૂટી ગયા હતા. અહીં થયેલા ગેરકાયદે ખોદકામ અંંગે રોજકામ કરવું જરૂરી છે. આથી ભિખુભા જાડેજાને દાખલારૂપ દંડ કરવો જોઈએ, કારણ કે તેમને મળેલ જગ્યાની પરમીટથી વધુ જગ્યાનો ઉપયોગ કરી નાખ્યો છે. અને હવે તેઓને કોઈ નવી પરમીટ આપવામાં આવે નહીં તેવી માંગણી આ પત્રમાં કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial