Advertisement
Author: નોબત સમાચાર

હાજીપીરના મેળામાં જતાં નગરના બે યુવાનને અકસ્માતઃ એકનું થયું મૃત્યુ

થાર મોટર અકસ્માત સર્જી પલાયન થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરના બે યુવાન કચ્છ સ્થિત હાજીપીર નજીક યોજાયેલા મેળામાં જવા માટે જામનગરથી બાઈકમાં નીકળ્યા પછી તેમના બાઈકને આમરણ ગામ પાસે થાર મોટર ટક્કર મારીને નાસી ગઈ છે. ઘવાયેલા એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરની ચોપડા ફળીમાં રહેતા મહંમદહુસેન યાસીનભાઈ પંજા નામના યુવાન પોતાના મિત્ર જુમાભાઈ નથુભાઈ કટારીયા સાથે કચ્છમાં આવેલા હાજી પીરના મેળામાં જવા માટે બાઈક પર નીકળ્યા હતા.

આ યુવાનોનું બાઈક જ્યારે મોરબીના આમરણ ગામ પાસે રાત્રિના સમયે પહોંચ્યું ત્યારે જામનગરથી કચ્છ તરફ દોડી જતી એક થાર મોટર ટક્કર મારીને નાસી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા મહંમદ હુસેનને સારવારમાં ખસેડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જુમાભાઈને ઈજા થતાં સારવાર અપાઈ છે.

હિટ એન્ડ રનના આ બનાવની મહંમદરફીક યાસીન પંજાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh