Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા
જામનગર તા. રઃ સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-જામનગર દ્વારા ટ્રસ્ટના ૧૦ મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે જામનગર શહેર ભાજપના અધ્યક્ષા અને પૂર્વ મેયર બીનાબેન કોઠારી તથા અખિલ ભારતીય કોળી સમાજના શહેર મહિલા અધ્યક્ષ અને શહેર ભાજપાના મંત્રી દયાબેન પરમારના હસ્તે નગરની કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની માતા-પિતા વિહોણી દીકરીઓને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિસાબેન ધોળકિયા, શહેર મહિલા મોરચો મહામંત્રી રેખાબેન વેગળ, વોર્ડ નં. ર ના કોર્પોરેટર અલકાબા જાડેજા, મહિલા બેંકના ડાયરેક્ટર પ્રજ્ઞાબેન ગુજરાતી, કસ્તુરબા વિકાસ ગૃહ પ્રમુખ કરસનભાઈ ડાંગર, ચાઈલ્ડ ઓમ ફોર ગર્લ્સના અધ્યક્ષ સ્વીટીબેન જાની, કાર્યાલય મંત્રી પાર્થભાઈ પંડ્યા, સૂર્યવંશી ટ્રસ્ટના મહિલા અગ્રણી હેતલબેન કંટારિયા, મનિષાબેન મકવાણા, આશાબેન ગુજરાતી, લતાબેન કંટારિયા, અશ્મિતાબેન મકવાણા, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું સંચાલન સૂર્યવંશી ટ્રસ્ટના મહિલા પ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial