Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેક્ટર તંત્ર હાઈકોર્ટમાં સોગંદનામું કરશેઃ
જામનગર તા. રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના દાત્રણા નજીક એરસ્ટ્રીપ બનાવવાની કામગીરી હાલ એક નડરરૂપ પવનચક્કીના કારણે બંધ છે. આ કામગીરી ક્યારે શરૂ થશે તેનો કોઈ પાસે જવાબ નથી. બીજી તરફ પવનચક્કી મુદ્દે હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવશે તેમ કલેક્ટર જણાવે છે.
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા દેશમાં ૧૪ એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ કરાયો હતો.
વર્ષ ર૦૧૮ માં જમીન સંપાદન નહીં થતા પ્રોજેક્ટ પાછો ઠેલાયો હતો. આ પછી જાન્યુઆરી ર૦ર૪ માં દાત્રાણા-જુવાનપુર વચ્ચે એરસ્ટ્રીપનું પહેલા તબક્કાનું કામ મંજુર થયું હતું અને ઓક્ટોબર ર૦રપ માં તે પૂર્ણ થયું હતું. આ પછી બીજા તબક્કાની કામગીરીમાં પણ વિલંબ થયો હતો.
નેશનલ હાઈ-વે ઓર્થોરીટીના જણાવ્યા મુજબ પવનચક્કી નડતરરૂપ હોવાથી કામમાં વિલંબ થયો છે. આ અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી હતી.
બીજી તરફ નેશનલ હાઈ-વે ઓથોરીટીના જણાવ્યા મુજબ એરસ્ટ્રીપ પાસે પીળા પટા નહીં લગાવાયા હોવાથી અકસ્માતની શક્યતા હોવાથી ત્યાં કામગીરી કરવામાં આવી છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરના જણાવ્યા મુજબ મારી નિમણૂકને માસ થયા છે, જ્યારે એરસ્ટ્રીપનો મુદ્દો ત્રણ વર્ષ જુનો છે. આ મુદ્દે હવે હાઈકોર્ટમાં અરજી કરાશે, અને પવનચક્કી ખસેડવા મંજુરી આપવાની માંગણી કરવામાં આવશે. બીજી તરફ સમગ્ર મુદ્દા અંગેની વિગતો મંગાવાઈ હોવાનું પણ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial