Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ભાણવડ તા. ૩૦: ભાણવડ તાલુકાના મોરઝર, રૂપામોરા અને સેવક દેવરિયા ગામે આરોગ્ય મંદિરના ખાતમુહૂર્ત મોરઝરમાં રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યા હતાં. રૂપિયા બે-બે લાખના ખર્ચે તૈયાર થનાર આયુષ્માન આરોગ્ય મંદિરોમાં ૧ર પ્રકારની સેવા-સુવિધા ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના આતંકી હુમલામાં માર્યા ગયેલાઓને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન ટીએચઓ ડો. પ્રકાશ ચાડેગ્રાએ કર્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્ય મંદિર અંગે જાણકારી આપી હતી.
આ પ્રસંગે જિ.પં. સભ્ય રામશીભાઈ મારૂ, દામજીભાઈ શિહોરા, દેવશીભાઈ કરમુર, વી.ડી. મોરી, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન પ્રદીપભાઈ બગડા, મામલતદાર ગોહિલ, ના. કલેક્ટર, આરોગ્ય કર્મચારીઓ, ગોવિંદભાઈ કનારા, અલ્પેશભાઈ પાથર, ગિરીશભાઈ ચનિયારા, મોહનભાઈ ગોરફાડ, મેઘજીભાઈ પીપરોતર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. પ્રા. શાળાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. રાજ્ય મંત્રી મૂળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial