Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અક્ષય તૃતિયા થી સતત બે મહિના સુધી
યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગતમંદિરમાં વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા નિમિત્તે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર ચંદન વાઘાનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. આજથી સતત બે માસ સુધી શ્રીજીને ગરમીની ઋતુ અનુસાર ચંદનના લેપ સાથે દરરોજ વિશિષ્ટ પુષ્પ શૃંગાર યોજવામાં આવશે. તેમજ ઠાકોરજીને રાજાધિરાજ સ્વરૂપને બદલે ઠંડક આપતા વસ્ત્રો પરિધાન કરવામાં આવશે. અખાત્રીજના દિવસે બપોરે ૧૨:૦૦ કલાકે શ્રીજીની વિશેષ શૃંગાર આરતી યોજવામાં આવી હતી. બે માસ સુધી ગરમીની ઋતુથી બચવા અને શીતળતા પ્રદાન કરવા શ્રીજીને ઠંડા ભોગ એટલે કે મુરબ્બાનું અથાણું, કેરી તથા અન્ય સામગ્રીથી બનાવેલ ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ, ચણાની મીઠી દાળ- આ પ્રકારના ઠંડા ભોગ અર્પણ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial