Advertisement
Author: નોબત સમાચાર

સફાઈ કામદારોને કાયમી કરવાના સીઆરમાં સેટીંગનો ગંભીર આક્ષેપ

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઈ કામદારોને કાયમી કરવા માટે જે સીઆર રિપોર્ટ મંગાવવામાં આવે છે તેમાં રૂિ૫યા લઈ સેટીંગ કરી ખોટા રિપોર્ટ ભરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજદૂર યુનિયનના પ્રમુખ વિજયભાઈ બાબરિયા તથા મંત્રી અમિતભાઈ પરમારે મ્યુનિ. કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં કર્યો છે.

જે કર્મચારી ૩૬પ દિવસ કામ કરી રહ્યા હોય તેવા સફાઈ કામદારોના વ્હેલી તકે ઓર્ડર આપવા તથા ભ્રષ્ટાચાર આચરનારા અવેજી સફાઈ કામદારો તથા એએસઆઈ વિરૂદ્ધ સખ્ત શિક્ષાત્મક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ગેરકાયદેસર રીતે ફરજ બજાવી રહેલા મુકાદમને છૂટા કરવા અને ખાલી પડેલ જગ્યા પર યોગ્ય મુકાદમોની નિમણૂક કરવા પણ માગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh