Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિશોર ચેરી. ટ્રસ્ટના આર્થિક સહયોગથી
ભાટીયા તા. ૧૭: ભાટીયાના સરકારી દવાખાનામાં તાજેતરમાં નેત્ર નિદાનનો ૧૧૯મો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના આર્થિક સહયોગથી આયોજિત આ કેમ્પમાં રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટની હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કુલ ૧૪૧ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું. મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા ૪૨ દર્દીઓને રાજકોટ મોકલવામાં આવ્યા હતા. જ્યાં સારવાર, આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા, દવા, ટીપાં, ચશ્મા આપવામાં આવ્યા હતા.
કેમ્પનું સંચાલન કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયાના પ્રમુખ કિશોરભાઈ દત્તાણીએ કર્યું હતું. કેમ્પમાં ભાટીયાના ડાડુભાઈ, દેવેન લાલ, જીવનભાઈ, સાગર ઝાલા, સરદારજી, નારણભાઈ કરંગીયા વગેરેએ સેવા આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial