Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી'ના ખીજડા મંદિરમાં ઉમંગભેર ઉજવાયો ફૂલડોલ ઉત્સવ

ચંદ્રગ્રહણ હોવાથી આજે સવારે જ ઉજવણી કરાઈ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં હોળી પછી ધૂળેટીનું પર્વ છે. એક તરફ આજે ગ્રહણને લીધે આવતીકાલે લોકો ધૂળેટી મનાવી રહ્યા છે, ત્યારે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ, નિજાનંદ સંપ્રદાયની આચાર્યપીઠ શ્રી પ-નવતનપુરી ધામ, ખીજડા મંદિરમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદ્ગુરુ અનંતવિભૂષિત શ્રી કૃષ્ણમણિજી મહારાજના સાનિધ્યમાં રાજભોગ અને ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. આજે વહેલી સવારથી જ ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરવામાં આવ્યા છે, અને ગ્રહણ હોવાના કારણે સવારે જ ફૂલડોલ ઉત્સવ પણ મનાવવામાં આવ્યો છે, તેમાં ભક્તોને આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજે ફૂલ અને અબીલ-ગુલાલ સહિતના પૂજય દ્રવ્યો ઉપરાંત અંતરથી અસત્ય પર સત્યના વિજયના વધામણા સ્વરૂ:પે અમીછાંટણા કર્યા હતાં. આ તકે ભક્તો પણ ભક્તિના રંગે રંગાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh