Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. રર જુલાઈ, મંગળવાર અને અષાઢ વદ બારસનું પંચાંગ

સુર્યોદય : ૬-૧૬ - સુર્યાસ્ત : ૭-૩૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૧, અષાઢ વદ-૧૨ :

તા. ૨૨-૦૭-ર૦૨૫, મંંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૨,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ મૃગશીર્ષ,

યોગઃ ધ્રુવ, કરણઃ ગર

તા. ૨૨-૭ ૨૦૨૫ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. જુની કે વારસાગત બીમારીમાં સમયાંતરે ડોક્ટરની  સલાહ લેવી જરૂરી બની રહે. નાણાકીય બાબતે આવકનું પ્રમાણ સ્થગિત થાય કે જાવકનું પ્રમાણ વધી  જવાને કારણે આપનું નાણાકીય આયોજન બગડતું જણાય. નોકરી-ધંધામાં આપના અટવાઈ પડેલા  કામનો ઉકેલ આવતા રાહત થવા પામે. સામાજિક-ધાર્મિક કાર્ય કરી શકો.

બાળકની રાશિઃ વૃષભ ૦૮.૧પ સુધી પછી મિથુન



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh