Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના સીદસરમાં યુવાને ટ્રેન આડે ઝંપલાવ્યું:
જામનગર તા. રઃ જામજોધપુરના સીદસર ગામની સીમમાં રેલવે ટ્રેક પર ઝંપલાવી લઈ એક યુવાને અકળ કારણથી માઠું લાગી આવતા આત્મહત્યા કરી લીધી છે. જ્યારે દ્વારકાના વાંચ્છુ ગામમાં પુત્રી પરીક્ષા આપવા ન જતાં પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી પછી પતિએ વિષપાન કરી જીવતર ટૂંકાવ્યું છે.
જામજોધપુર તાલુકાના સીદસર ગામના વતની અને હાલમાં રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જવાહર સોસાયટીમાં રહેતા કિશન ભાઈ ગોવિંદભાઈ માકડીયા (ઉ.વ.૪૦) નામના યુવાન બુધવારે રાત્રે દસેક વાગ્યે સીદસર ગામની વાઘારા સીમ પાસે આવ્યા હતા.
ત્યાં રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેનની રાહ જોયા પછી જ્યારે ટ્રેન નીકળી ત્યારે કિશનભાઈએ તેની હેઠળ ઝંપલાવી લીધુ હતું. તેમને ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ ભરતભાઈ માકડીયાએ પોલીસને જાણ કરી છે. આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમમાં રહેતા માંડણભા આલાભા માણેક (ઉ.વ.પ૦) નામના પ્રૌઢે ગઈ તા.૧૬ની સવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. સારવાર માટે ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ તથા ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે.
ઉપરોક્ત બનાવ અંગે દ્વારકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે. જાણવા મળ્યા મુજબ આ પ્રૌઢના પુત્રીને ગઈ તા.૧૬ના દિને પરીક્ષા આપવા જવાનું હતું પરંતુ તે બાળકી પરીક્ષા આપવા ન જતાં માંડણભાઈ તથા તેમના પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તેનું માઠું લાગી આવતા આ પ્રૌઢે વિષપાન કર્યું હતું. પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial