Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સેનાની પીઠ થાબડીઃ 'દેશને તમારા પર ગર્વ છે'

રપ મિનિટમાં જ પાક. અને પીઓકેના નવ ઠેકાણા ઊડાડ્યાઃ પી.એમ.

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૭: ઓપરેશન સિંદૂર મુદ્દે પીએમ મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ ભારતીય સેનાની પીઠ થાબડી છે.

પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેના દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઓપરેશન સમગ્ર દેશ માટે ગર્વની પળ હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, સેનાએ ઉત્કૃષ્ટ રીતે કામગીરી નિભાવી છે. આ આખા દેશ માટે ગર્વની પળ છે. ભારતીય સેનાએ ગત્ મોડી રાત્રે રપ મિનિટમાં જ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિતિ આતંકવાદીઓના નવ ઠેકાણા ઊડાડી દીધા હતાં. જેમાં ૯૦ આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ ઓપરેશનમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર મસુદ અઝહરના આખા પરિવારનો સફાયો થયો છે. તેના પરિવારના કુલ ૧૪ લોકો માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર પછી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીય સેનાની ત્રણેય પાંખોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, તમે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. આખા દેશને તમારા પર ગર્વ છે.

વડાપ્રધાને અપરેશનને આપ્યું હતું નામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહલગામ હુમલાનો બદલો લેવા હાથ ધરેલા ઓપરેશનને સિંદૂર નામ આપ્યું હતું. આ નામ પહલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને અને તેમની પત્નીઓને સમર્પિત હતું. તેમને ન્યાય આપવાના ઈરાદે ઓપરેશન સિંદૂર હાથ ધરાયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh