Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી મુંબઈ અને નવી મુંબઈ માટે હવાઈ સેવા શરૂ થશે

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૬: જામનગરથી મુંબઈ વચ્ચે હાલ દૈનિક એક વિમાન સેવા ઉપલબ્ધ છે. જ્યારે હવે એ સેવામાં વધુ ઉમેરો થઈ રહ્યો છે અને જામનગરથી મુંબઈ અને નવી મુંબઈ માટે હવાઈ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે.

તા. ૨૯ માર્ચથી જામનગર-મુંબઈ વચ્ચે વધારાની વિમાની સેવા શરૂ થઈ રહી છે. જે મુંબઈથી સવારે ૬:૫૦ કલાકે વિમાન ઉડાન ભરશે અને સવારે ૮:૧૦ કલાકે આ વિમાન જામનગર ઉતરાણ કરશે અને સવારે ૮:૫૦ કલાકે તે વિમાન મુંબઈ માટે રવાના થશે અને સવારે ૧૦:૨૦ કલાકે મુંબઈ પહોંચશે. એર ઈન્ડિયાનું નીઓ-૩૨૦ એર ક્રાફટની આ સેવા મળનાર છે

આ ઉપરાંત ઈન્ડિગો પણ પોતાની હવાઈ સેવા શરૂ કરી રહ્યું છે. જે નવી મુંબઈથી સાંજે ૪ વાગ્યે રવાના થઈ જામનગર ૫:૩૦ કલાકે આવશે અને સાંજે ૬:૧૦ કલાકે જામનગરથી ઉડાન ભરશે અને સાંજે ૭:૪૫ કલાકે નવી મુંબઈ પહોંચશે. આ માટે એ-૩૨૦ એર ક્રાફટનો ઉપયોગ થનાર છે. આમ, જામનગર વાસી ઓને સવાર અથવા સાંજેની ફલાઈટની માંગ કરી રહ્યા હતા, જે માંગણી હવે પરિપૂર્ણ થવા જઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh