Advertisement
Author: નોબત સમાચાર

હાલાર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૪૩ સર્વેયરોની બઢતી સાથે કરાઈ બદલી

રાજકોટ ડિવિઝનના જમીન દફતર અધિકારી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: રાજકોટ વિભાગના નાયબ નિયામક જમીન દફતર અધિકારીએ સૌરાષ્ટ્ર-કચ્છના ૪૩ સર્વેયર (વર્ગ-૩) માંથી સિનિયર સર્વેયર (વર્ગ-૩) માં હંગામી ધોરણે બઢતીના હુકમ કર્યા છે. તેમાં હાલારના પણ અમુક અધિકારીઓનો સમાવેશ થાય છે. જેની બઢતી સાથે બદલીના પણ હુકમ થયા છે.

તેમાં ખંભાળીયાથી અશોકભાઈ હમીરભાઈ ખુંટીને ડી.આઈ.એલ.આર. કચેરી દેવભૂમિ દ્વારકા, જામનગરની સિટી સર્વે.સુપ્રિ. કચેરીના ગોવિંદભાઈ સાંમતભાઈ ડાંગરને ડી.આઈ.એલ.આર. જામનગર, જામનગરની સિટી સર્વે કચેરીના મહેશભાઈ ડાયાભાઈ નકુમને લાલપુર મૂકવામાં આવ્યા છે.

જામનગરના નિધિબેન સુધીરભાઈ રાવલને સિટી સર્વે જામનગર, રાજકોટના જીતેન્દ્રભાઈ રૂપાભાઈ અંસારીને જામનગરમાં, જેતપુરના કિરણ પૂંજાભાઈ કરમુરને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જામનગર સિટી સર્વે કચેરીમાંથી જયદિપ પ્રવિણભાઈ ટાંકને જામનગરની ડીઆઈએલઆર કચેરીમાં, મોરબીથી હિતેશકુમાર કાનજીભાઈ ચાવડાને જામનગર સિટી સર્વે કચેરી જામનગરમાં, પ્રતિપાલસિંહ ઈન્દ્રસિંહ ગોહિલને જામનગરની ડી.આઈ.એલ.આર. કચેરીમાં અને રાજકોટથી જયદિપ રમેશભાઈ કુબાવતને જામનગરમાં બઢતી સાથે બદલી કરી મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh