Advertisement
Author: નોબત સમાચાર

અલીયાબાડા રોડ પર મોટર આડે શ્વાન ઉતરતા અકસ્માતઃ ચાલકનું થયું મૃત્યુ

શ્વાનને બચાવવા જતાં મોટર ઉંધી પડી ગઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગર-કાલાવડ રોડ પર અલીયાબાડા ગામ તરફના રસ્તા પર ગઈકાલે બપોરે એક મોટર આડે દોડીને શ્વાન ઉતરતા સર્જાયેલા અકસ્માત માં ઘવાયેલા મોટરના ચાલકનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરથી કાલાવડ વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા અલીયાબાડા તરફ જવાના માર્ગ પર અલીયા ગામ તરફ ના રસ્તા પરથી ગઈકાલે બપોરે સંજયભાઈ હરીભાઈ મકવાણા (ઉ.વ.૩પ) નામના યુવાન પોતાની જીજે-૧૦-ઈસી ૮૬૮૭ નંબરની ઈકો મોટર લઈને જતા હતા.

તેઓ જ્યારે પેટ્રોલપંપ પાસે પહોંચ્યા ત્યારે અચાનક દોડીને એક શ્વાન રોડ પર આવી જતાં તેને બચાવવા જવાના પ્રયાસમાં સંજયભાઈ એ મોટર પરનો કાબુ ગૂમાવ્યો હતો. રોડ ઉતરી પલટી મારી ગયેલી મોટરના કારણે ચાલક સંજયભાઈને ગંભીર ઈજા થઈ હતી. સારવાર માટે દવાખાને ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. ચંદુભાઈ બાવા ભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh