Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાર વર્ષ પહેલાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૧: જામનગરના એક આસામીને મુંબઈમાં નોકરી અપાવી દેવાનું કહી તેઓના નામનું ખાનગી બેંકમાં કરંટ ખાતું ખોલાવ્યા પછી તે ખાતામાં મોટી રકમની લેવડદેવડ કરી નખાઈ હતી. આ બાબતની પોલીસમાં થયેલી ફરિયાદ પછી બે આરોપીની ધરપકડ થઈ હતી. આ આરોપીઓએ જામીનમુક્ત થવા કરેલી અરજી કોર્ટેે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના હરીશભાઈ જેઠાભાઈ પરમાર નામના આસામીને ધંધામાં નુકસાન જતા તેઓ આર્થિક સંકડામણમાં ફસાયા હતા. તેઓએ લીધેલી લોનના હપ્તા ચઢત થવા લાગ્યા હતા. તે દરમિયાન જતીન પાલા નામના શખ્સનો સંપર્ક થયો હતો. તેણે મુંબઈમાં નોકરી અપાવી દેવાનું કહી પાનકાર્ડ, આધારકાર્ડ વગેરે કાગળો મેળવી હરીશભાઈના નામનું બેંકમાં કરંટ ખાતું ખોલાવ્યા પછી એટીએમ, ચેકબુક મેળવ્યા હતા અને હરીશભાઈ ને એક મહિનાનો રૂ.૪૦ પગાર પણ રોકડમાં આપ્યો હતો. તે દરમિયાન જે બેંકમાં ખાતું ખોલાવાયું હતું તે બેંકે મોટી રકમના કેટલાક વ્યવહાર થયા હોવાનું જણાવી હરીશભાઈનું ખાતું બંધ કર્યું હતું.
તે પછી ખાતા અંગે તેઓએ તપાસ કરાવતા તેમના ખાતામાં મોટી રકમ મૂકવામાં અને ઉપાડવામાં આવી હોવાનું જણાઈ આવતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસમાં ખોડુભા લખુભા જાડેજા, કૈલાસ બિપીનભાઈ ગોહિલ નામના વ્યક્તિઓના નામથી તેમના ખાતામાં મોટી રકમની લેવડદેવડ જણાઈ આવતા વર્ષ ૨૦૨૧માં નોંધાયેલા આ ગુન્હામાં પોલીસે ખોડુભા તથા બિપીનની શોધ શરૂ કરી હતી.
આ શખ્સોને પકડી લેવામાં આવ્યા પછી જેલહવાલે થયેલા બંને આરોપીએ જામીન મુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીને જામીન પર છોડવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial